26 જિલ્લામાં ભીષણ પૂર-ભૂસ્ખલન, 105ના મોત, 27.64 લાખ લોકો પ્રભાવિત, રાહત કેન્દ્રમાં રહેતા 18 હજાર લોકોમાં કોરોના સંક્રમણનું જોખમ

આસામના 33માંથી 26 જિલ્લામાં ભારે વરસાદ, ભીષણ પૂર અને ભૂસ્ખલનના સંકજામાં આવ્યા છે. આનાથી અત્યાર સુધી અહીંયા 105 લોકોના મોત થઈ ચુક્યા છે. લગભગ 27.64 લોકો પ્રભાવિત થયા છે. રાહત કેન્દ્રમાં લગભગ 18 હજાર લોકો છે. દિબ્રૂગઢ જિલ્લાના રોંગમોલા ગામના શ્યામલ દાસ(39) બે દિવસ પહેલા રાહતકેન્દ્રમાંથી પાછા ઘરે આવ્યા છે. પૂરના કારણે વાંસમાંથી બનાવાયેલું તેમનું ઘર પુરી રીતે ખરાબ થઈ ગયું છે. પત્ની અને બે બાળકો સાથે શ્યામલ ઘરે તો આવ્યા છે, પણ હવે રોજગારીની ચિંતા સતાવી રહી છે.

શ્યામલે કહ્યું કે, ‘લોકડાઉન પછી કામધંધો બધુ બરબાદ થઈ ગયું હતું, હવે પૂરે જીવન બરબાદ કરી નાંખ્યુ. નાની કરિયાણાની દુકાન ચલાવીને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. હવે આગળના બધા રસ્તા બંધ થઈ ગયા છે. ખેતરની જમીન પહેલાથી જ પૂર અને ભૂસ્ખલનમાં જતી રહી. છ દિવસથી અમે સુહાગી દેવી શાળામાં બનાવાયેલા અસ્થાયી રાહતકેન્દ્રમાં રહેતા હતા. સંક્રમણના જોખમના કારણે ઘરમાં પૂરનું પાણી ઓછું થતાની સાથે પાછા આવી ગયા છીએ.હંમેશા એક ડર લાગે છે કે રાહતકેન્દ્રમાં ક્યાંક કોરોના ના ફેલાઈ જાય’

ઘણા લોકો તો તંબૂ બનાવીને ઊંચી જગ્યાઓ પર રહેવા માંડ્યા
ઘણા પૂર પીડિત લોકો ઊંચી જગ્યાએ પ્લાસ્ટિકથી તંબૂ બનાવી રહેતા હતા જેથી સોશિયલ ડિસટન્સીંગ જળાવાઈ રહે. અમે 1998થી સતત દર વર્ષે પૂરના સમયે રાહતકેન્દ્રોમાં શરણ લઈ રહ્યા છીએ, પરંતુ આટલી બીક તો ક્યારેય નથી લાગી.શ્યામલના ગામથી લગભગ બે કિમી દૂર મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનું પૈતૃક ગામ મુકુલ છે. અહીંયા પણ પૂરે ભારે નુકસાન કર્યું છે. અહીંયા લગભગ 100 પૂર પ્રભાવિત પરિવારોએ સ્થાનિક વિષ્ણુ રાભા સભાગારમાં શરણ લીધા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Heavy Floods, Landslides In 26 Districts Of Asam, 105 Deaths So Far, Risk Of Infection In Relief Camps


source https://www.divyabhaskar.co.in/national/news/heavy-floods-landslides-in-26-districts-of-asam-105-deaths-so-far-risk-of-infection-in-relief-camps-127532652.html

Post a Comment

0 Comments